القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن أوقات الصلاة فهرس الموقع

સ ૨૨ : નિફાક શું છે ? અને તેના પ્રકાર જણાવો ?

જ :

૧. અન્ નિફાકુલ્ અકબર : (દિલમાં) કુફરને છુપાવીને રાખવું અને ઈમાન જાહેર કરવું

અને કુફરે અકબરનાં કારણે તે ઇસ્લામ માંથી નીકળી જશે.

અલ્લાહ તઆલા કહે છે. નિ:શંક, મુનાફિક લોકો તો જહન્નમના સૌથી નીચલા ભાગમાં જશે, તમે તેમની મદદ કરવાવાળા કોઈને નહિ જુઓ.૧૪૫ (સૂરે નિસા : ૧૪૫ )

૨. અન્ નિફાકુલ્ અસગર

ઉદાહરણ તરીકે : જુઠ્ઠું બોલવું, વચનભંગ કરવું, અમાનતમાં ખિયાનત કરવી.

નિફાકે અસગરના કારણે તે ઇસ્લામ માંથી નીકળતો તો નથી પરંતુ તે ગુનોહ કરી રહ્યો છે અને એવો ગુનોહ જેના કારણે તેને સજા જરૂર મળશે .

આપ ﷺ એ કહ્યું : મુનાફિકની ત્રણ નિશાનીઓ છે : જ્યારે વાત કરે તો જુઠ્ઠું બોલે, જ્યારે વચન આપે તો વચનભંગ કરે અને જ્યારે તેની પાસે અમાનત રાખવામાં આવે તો તે ખિયાનત કરે. આ હદીષને બુખારી અને મુસ્લિમે રિવાયત કરી છે.