القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن أوقات الصلاة فهرس الموقع

ઇસ્લામે બાળકને દત્તક લેવાની મનાઈ કેમ કરી?

ઇસ્લામ અનાથની દેખરેખ કરવા પર આગ્રહ કરે છે, અને અનાથની બાંયધરી લેનારને અનાથ સાથે પોતાના બાળકો જેવું વર્તન કરવાનો આદેશ આપે છે, પરંતુ અનાથને તેના વાસ્તવિક પરિવારને જાણવાનો અધિકાર આપે છે, તેના પિતાના વારસા પરના તેના અધિકારને બચાવે છે અને વંશના મિશ્રણથી બચાવે છે.

એક પશ્ચિમી છોકરીની વાર્તા, જેણે ત્રીસ વર્ષ પછી અચાનક જાણ્યું કે તે દત્તક લીધેલી પુત્રી છે અને તેણે આત્મહત્યા કરી લીધી, દત્તક કાયદામાં ભ્રષ્ટાચારનો સૌથી મોટો પુરાવો છે. જો તેઓએ તેને બાળપણથી કહ્યું હોત, તો તેઓએ તેના પર દયા કરી હોત અને તેણીને તેના પરિવારની શોધ કરવાની તક આપી હોત.

"બસ ! તમે કોઈ અનાથ પર કઠોર વ્યવહાર ન કરશો" [૨૬૩]. (અઝ્ ઝુહા: ૯).

"તમને દૂનિયા અને આખિરતના કાર્યો અને અનાથો વિશે પણ સવાલ કરે છે તમે કહી દો કે તેઓની ઇસ્લાહ કરવી ઉત્તમ છે, તમે જો તેઓનું (ધન) પોતાના ધન સાથે ભેગું પણ કરી લો, તો છેવટે તો તેઓ તમારા ભાઇ જ છે, અને અલ્લાહ બગાડનાર અને ઇસ્લાહ કરવાવાળાને સારી રીતે જાણે છે અને જો અલ્લાહ ઇચ્છતો તો તમને કઠણાઇઓમાં નાખી દેત, નિઃશંક અલ્લાહ તઆલા વિજયી અને હિકમતવાળો છે" [૨૬૪]. (અલ્ બકરહ: ૨૨૦).

"અને જ્યારે વિરાસતના માલની વહેંચણીના સમયે સબંધીઓ (જે હકદાર ન હોય તેઓ સંબંધી તેમજ અનાથો અને લાચાર લોકો આવી પહોંચે તો તમે તેમાંથી તેઓને પણ થોડુંક આપી દો. અને તેઓની સાથે નમ્રતાથી વાત કરો" [૨૬૫]. (અન્ નિસા: ૮).

PDF