القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن أوقات الصلاة فهرس الموقع

ઇસ્લામ આર્થિક સંતુલનને કેવી રીતે પ્રાપ્ત કરે છે?

દાખલા તરીકે, ઇસ્લામમાં આર્થિક વ્યવસ્થા, મૂડીવાદ અને સમાજવાદ વચ્ચે સરળ સરખામણી કરીશું તો, તે સ્પષ્ટ થઇ જશે કે ઈસ્લામે આ સંતુલન કેવી રીતે પ્રાપ્ત કર્યું.

ખાસ કરીને માલિકીની સ્વત્રંતા વિશે:

મૂડીવાદમાં: ખાનગી મિલકત એ સામાન્ય સિદ્ધાંત છે,

સમાજવાદમાં: જાહેર માલિકી એ સામાન્ય સિદ્ધાંત છે.

ઇસ્લામમાં: વિવિધ સ્વરૂપોની માલિકીની પરવાનગી:

જાહેર માલિકી: તે બધા મુસ્લિમો માટે સામાન્ય છે, જેમ કે ફળદ્રુપ જમીનો.

રાજ્યની માલિકી: કુદરતી સંસાધનો જેમ કે જંગલો અને ખનિજો.

ખાનગી મિલકત: જે ફક્ત મૂડીવાદ દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે જેથી સામાન્ય સંતુલનને કોઈ ખતરો ન થાય.

આર્થિક સ્વતંત્રતા વિશે:

મૂડીવાદમાં: આર્થિક સ્વતંત્રતા અમર્યાદિત છે.

સમાજવાદમાં: આર્થિક સ્વતંત્રતા સંપૂર્ણપણે જપ્ત કરવામાં આવે છે.

ઇસ્લામમાં: આર્થિક સ્વતંત્રતાને મર્યાદિત અવકાશમાં ઓળખવામાં આવે છે, જે નીચે પ્રમાણે છે:

પ્રતિભાશાળી આત્માના ઊંડાણમાંથી સ્વ-પસંદગી પર ઇસ્લામી તર્બિયત (શીક્ષા) પર આધારિત છે, અને સમાજમાં ઇસ્લામના વિચારોનો ફેલાવવા.

ઉદ્દેશ્ય ઓળખ, જે ચોક્કસ શરિઅત (કાયદા) દ્વારા દર્શાવવામાં આવે છે, જે ચોક્કસ ક્રિયાઓને પ્રતિબંધિત કરે છે જેમ કે: છેતરપિંડી, જુગાર, વ્યાજખોરી અને અન્ય.

"હે ઇમાનવાળાઓ ! વધારીને વ્યાજ ન ખાઓ અને અલ્લાહ તઆલાથી ડરતા રહો, જેથી તમે સફળ બનો"[૧૯૧]. (આલિ ઇમરાન: ૧૩૦).

"જે કઈ પણ તમે વ્યાજ પર આપો છો, જેથી લોકોના માલ દ્વારા તમારા માલમાં વધારો થાય, તો આવો માલ અલ્લાહ પાસે વધતો નથી, અને જે કંઈ સદકો, ઝકાત તમે અલ્લાહ તઆલાની પ્રસન્નતા માટે આપો છો, તો આવા લોકો જ પોતાના માલમાં વધારો કરી રહ્યા છે"[૧૯૨]. (અર્ રૂમ: ૩૯).

“લોકો તમને શરાબ અને જુગાર વિશે પુછે છે, તમે કહી દો કે આ બન્ને કાર્યોમાં મોટો ગુનોહ છે, અને લોકોને તેનાથી દૂનિયાનો ફાયદો પણ થાય છે, પરંતુ તેમનો ગુનોહ તેમના ફાયદા કરતા ઘણું જ વધારે છે, એવી જ રીતે તમને પુછે છે કે અલ્લાહના માર્ગમાં શું ખર્ચ કરીએ? તો તમે કહી દો કે તમારી જરૂરિયાતથી વધારાની વસ્તુ (ખર્ચ કરો). અલ્લાહ તઆલા આવી જ રીતે પોતાના આદેશો સ્પષ્ટ તમારા માટે બયાન કરી દે છે જેથી તમે વિચારી, સમજી શકો"[૧૯૩]. (અલ્ બકરહ: ૨૧૯).

મૂડીવાદે માણસ માટે મુક્ત અભિગમ દોર્યો, અને તેને તેના માર્ગદર્શનને અનુસરવા આમંત્રણ આપ્યું, કારણ કે મૂડીવાદ દાવો કરે છે કે આ ખુલ્લો અભિગમ માણસને શુદ્ધ સુખ તરફ દોરી જશે. જો કે, માણસ પોતાની જાત અંતે વર્ગ-આધારિત સમાજમાં બંધાયેલો જોવા મળે છે, એટલે કે તે કાં તો તે અતિશય સંપત્તિ આધાર પર લોકો પર જુલમ કરવા પર અથવા નૈતિકતાનું પાલન કરનારાઓ માટે અત્યંત ગરીબી છે.

સામ્યવાદ આવ્યો અને તમામ વર્ગોને નાબૂદ કર્યા, અને વધુ નક્કર સિદ્ધાંતો દોરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણે એવા સમાજો બનાવ્યા જે અન્ય કરતા ગરીબ, વધુ પીડાદાયક અને વધુ ક્રાંતિકારી હતા.

ઇસ્લામ માટે, તેણે મધ્યસ્થતા પ્રાપ્ત કરી, અને મુસ્લિમ ઉમ્મત મધ્યસ્થ ઉમ્મત ગણવામાં આવી, કારણ કે તેણે ઇસ્લામના દુશ્મનોની જુબાની ગવાહી અપાવી કે ઈસ્લામે માનવતાને એક મહાન સિસ્ટમ પ્રદાન કરી છે. જો કે, એવા મુસ્લિમો છે જે ઇસ્લામના મહાન મૂલ્યોનું પાલન કરવામાં નિષ્ફળ જાય છે.

PDF