القرآن الكريم المصحف الإلكتروني إذاعات القرآن صوتيات القرآن أوقات الصلاة فهرس الموقع

શું ધર્મ લોકો માટે અફીણ (એક ઝેરીલો/નશીલો પદાર્થ) છે?

સત્યતા એ છે કે દિન (ધર્મ) એ જિમ્મેદારી અને જવાબદારી છે, તે આત્માને સચેત કરે છે, અમે એક મોમિનને તાકીદ કરે છે કે તે દરેક નાની મોટી બાબતોમાં પોતાને જવાબદાર બનાવે, મોમિન પોતાના માટે, પોતાના પરિવાર માટે, પોતાના પાડોશી માટે અને મુસાફરો માટે પણ જવાબદાર છે, તે ઉપલબ્ધ સાધનોનો ઉપયોગ કરે છે અને અલ્લાહ પર ભરોસો રાખે છે, અને મને નથી લાગતું કે અફીણના વ્યસનીમાં આવા ગુણો છે [૪૩]. અફીણ એ ખસખસના છોડમાંથી કાઢવામાં આવતી એક પ્રકારની દવા છે અને તેનો ઉપયોગ હેરોઈન બનાવવામાં થાય છે.

સામાન્ય લોકોનું વાસ્તવિક અફીણ નાસ્તિકવાદ છે, ઈમાન નથી, કારણ કે નાસ્તિકવાદ તેના અનુયાયીઓને ભૌતિકવાદ તરફ બોલાવે છે અને ધર્મને નકારીને અને જવાબદારીઓ અને ફરજોને છોડીને, અને પરિણામો હોવા છતાં ત્વરિત ક્ષણનો આનંદ માણવા વિનંતી કરીને તેમના સર્જક સાથેના સંબંધને પાચલ ફેંકી દે છે, તેથી તેઓ દુન્યવી સજાની ગેરહાજરીમાં તેઓને ગમે તે કરે છે, એવું માનીને કે ત્યાં કોઈ ઇલાહ નિરીક્ષક અથવા હિસાબ કરનાર નથી, અને કોઈ પુનરુત્થાન અથવા ગણતરી નથી, શું આ વ્યસનીઓનું વાસ્તવિક વર્ણન નથી?

PDF